Ghanshyam Maharaj Darshan 3
ભગવાન તો સચ્ચિદાનંદરૂપ છે ને તેજોમય મૂર્તિ છે અને જેના એક એક રોમને વિષે કોટી કોટી સૂર્ય જેવો પ્રકાશ છે ને કોટી કામદેવને પણ લજ્જા પમાડે એવા તે ભગવાન રૂપાળા છે ને અનંતકોટી બ્રહ્માંડના પતિ છે, રાજાધિરાજ છે, સર્વના નિયંતા છે, સર્વના અંતર્યામી છે અને અતિશે સુખરૂપ છે ને જેના સુખની આગળ અનંત રૂપવાન સ્ત્રીઓને જોયાનું જે સુખ તે તુચ્છ થઈ જાય છે અને આલોક-પરલોક સંબંધી જે પંચવિષયનાં સુખ તે ભગવાનની મૂર્તિનાં સુખ આગળ તુચ્છ થઈ જાય છે. (લો. ૧૮)